April 27, 2024

Gujrat

  • લૂંટની ફરિયાદ કરવા ગયેલા યુવકને જ અમરોલી પોલીસે પકડી લીધો, હકીકત જાણશો તો કહેશો બરાબર કર્યું..!
    on April 27, 2024 at 6:11 am

    સુરત: શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ઘટના બની છે. અહીં લૂંટની ફરિયાદ કરવા પહોંચેલા યુવકને જ અમરોલી પોલીસે લોકઅપમાં પુરી દીધો છે. હકીકત જાણશો તો તમે પણ કહેશો કે બરોબર છે પોલીસે આવું જ કરવું જોઈએ. વાત જાણે એમ છે કે, તા. 26 એપ્રિલ 2024ના રોજ અમરોલી પોલીસ સ્ટેશને અલ્પેશ વિનુભાઈ રૂપાપરા પહોંચ્યો હતો. અલ્પેશે

  • અયોધ્યામાં 95 બાળકોનું દીલધડક રેક્સ્યુ, આવી રીતે ફસાયા હતા મદરેસા માટેની જાળમાં
    on April 27, 2024 at 5:16 am

    નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) બાળ આયોગે શુક્રવારે 27 એપ્રિલે રેસ્ક્યુ કર્યા હતા. આ બાળકોને બિહારથી (Bihar) ગેરકાયદેસર (Illegal) રીતે ઉત્તર પ્રદેશ લાવવમાં આવ્યા હતા. તેમજ તેમને કોઇ પણ વિગતોની જાણ ન હતી, કે તેમને શા માટે અહીં લાવવમાં આવ્યા છે. તેમની પુછતાછમાં ફક્ત એટલું જ જાણી શકાયું કે કોઇ હાફીઝજીએ તેમની

  • દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલ સરકારને ઝાટકી, કહ્યું- કેજરીવાલને માત્ર સત્તાનો મોહ…
    on April 27, 2024 at 4:47 am

    નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે દિલ્હી સરકાર (Delhi Govt) અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન આપવા બદલ ઝાટકણી કરી હતી. હાઈકોર્ટે ઝાટકણી કરતા કહ્યું હતું કે દિલ્હી સરકારને માત્ર સત્તામાં રહેવામાં જ રસ હોય, અને ધરપકડ છતાં રાજીનામું ન આપીને અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય હિતને નહીં પરંતુ નિજી

  • વારસાગત કર: લોકસભાની ચૂંટણીમાં અચાનક ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો?
    on April 27, 2024 at 3:55 am

    વારસાગત કર શું છે? હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં તે અચાનક ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો? શું તે એટલું કઠોર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કટ્ટર હરીફ કોંગ્રેસ પર કટાક્ષ સાથે કેન્દ્ર-મંચ પર આવવું પડ્યું: “કોંગ્રેસ કી લૂંટ જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી…? એક નિશ્ચિત છે કે દેશની 140 કરોડની વસ્તીમાંથી

  • જો ખરેખર લોહશાહી જીવંત રાખવી હોય તો પ્રેફરેન્શિયલ વોટિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ
    on April 27, 2024 at 3:45 am

    ભારત દેશને જ્યારે લોકશાહી દેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેને દરેક વ્યક્તિ દ્વારા આવકારવામાં આવ્યો હતો. લોકશાહીને લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકી ચાલતું શાસન ગણાવવામાં આવ્યું હતું. ભારતમાં પ્રતિનિધિઓને પસંદ કરવા માટે મતદાનની પ્રણાલી પણ નક્કી કરવામાં આવી. જ્યારે આ પ્રણાલી અમલમાં આવી ત્યારે કોઈને પણ એવો ખ્યાલ નહોતો કે ચૂંટણીની આ

  • દક્ષિણ ગુજરાત સહિત 16 જિલ્લાઓમાં માવઠાની વકી
    on April 26, 2024 at 4:02 pm

    ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી આવેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આગામી 24 કલાક દરમ્યાન માવઠું થવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરાઈ છે. બીજી તરફ રાજયમાં આજે દિવસ દરમ્યાન ચાર શહેરોમાં 41 ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર પરથી સરકીને આવેલી સિસ્ટમની અસર હેઠળ

  • પેટલાદમાં વેપારીએ ટ્રાફિક પોલીસને ધમકી આપી
    on April 26, 2024 at 3:18 pm

    રસ્તા વચ્ચે જ એક્ટિવા ઉભુ રાખી કાર ચાલક સાથે વાત કરતો હતો તે સમયે દુર જવા કહેતા ઉશ્કેરાયો (પ્રતિનિધિ) પેટલાદ તા.26 પેટલાદ શહેરમાં ટ્રાફિકથી ભરચક રેલવે ફાટક પાસે રસ્તા વચ્ચે જ એક્ટિવા ઉભુ રાખી વેપારીએ કાર ચાલક સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. આથી, ફરજ પરના ટ્રાફિક જવાને તેમને દુર જવાનું કહેતા વેપારી ઉશ્કેરાઇ ગયો

  • આણંદમાં જમીન એનએ કરાવવા ભાઇએ બહેનને ધમકી આપી
    on April 26, 2024 at 3:11 pm

    બહેનના ઘરે આવેલા ભાઇએ અપશબ્દો બોલી સહી કરવા દબાણ કર્યું (પ્રતિનિધિ) આણંદ તા.26 આણંદ શહેરના ગર્વમેન્ટ ક્વાટર્સની સામે રહેતા મહિલાના સંયુક્તિ માલીકીની જમીનમાં ભાઇએ એનએ કરાવવા સહી કરવા જણાવ્યું હતું. પરંતુ બહેને ના પાડતા તેનો ભાઇ ઉશ્કેરાઇ ગયો હતો અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ તેના ભાઇ સામે જ પોલીસ મથકે ફરિયાદ

  • આણંદમાં આકરા ઉનાળામાં ઝાપટું, ગરમીમાં રાહત પણ ખેતીમાં  નુકસાનની ચિંતા 
    on April 26, 2024 at 3:04 pm

    તૈયાર પાક ઉપજ મેળવવા ટાણે નુકસાન થવાની ચિંતા પણ પ્રસરી  (પ્રતિનિધિ) આણંદ તા 26 આણંદ શહેર સહિત જિલ્લામા કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમા વરસાદી ઝાપટું પડ્યું હતું.જેથી આકારા ઉનાળામાં ગરમીથી આંશિક રાહત થઇ હતી. પરંતુ તૈયાર પાક ઉપજ મેળવવા ટાણે નુકસાન થવાની

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે ગુજરાતમાં: રાજકોટના જામકંડોરણા, ભરૂચ, ગોધરા, વડોદરામાં સભા સંબોધશે
    on April 26, 2024 at 3:04 pm

    ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી (Election) માટે ભાજપ (BJP) દ્વારા આક્રમક ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન યોજનાર છે, ત્યારે ભાજપના ટોચના નેતાઓ હવે ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. જેમાં આવતીકાલ તારીખ 27મી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચાર લોકસભા વિસ્તારોમાં ચૂંટણી સભાઓને સંબોધશે. કેન્દ્રીય ગૃહ મંત્રી